ભાગ :1
માનવજીવન એક અનંત યાત્રા છે, જેમાં દરેકે પોતાનું એક વિશિષ્ટ સ્થાન ધરાવવાનું હોય છે. કેટલીક યાત્રાઓ છે, જેઓ પોતાનું જીવન પોતાના માટે નથી જીવતા; તેઓ જીવતા હોય છે, સમાજ માટે, પેઢી માટે, ભવિષ્ય માટે. એવા વ્યક્તિઓ જીવનયાત્રીઓમાં સર્વોચ્ચ સ્થાન પામે છે – શિક્ષક.
શિક્ષકનું જીવન બહારથી જોઈશું ત્યારે સાધારણ લાગશે – શાળાના ધબડાટમાં ગુમાવેલું, શાંતિથી શીખવાડતું, રોજિંદા પાઠ્યક્રમો અને પરીક્ષાઓમાં વ્યસ્ત. પણ જ્યારે આપણે શિક્ષકના અંતરમાનમાં ઝાંખી કરીએ ત્યારે સમજાય છે કે આ જીવન તો ગહન ત્યાગ, પ્રેમ, અવિરત શ્રમ અને મહાનતા સાથે ઝળહળતું હોય છે.
જીવનની શરૂઆત: બાળક માંથી શિક્ષક બનવાની સફર
દરેક શિક્ષકનો પણ એક સમય બાળક હોય છે , જ્યારે તે બાળક હોય છે ત્યારે તે પણ કોઈ શિક્ષક પાસે શિક્ષા પ્રાપ્ત કરવા માટે શાળા માં ગયું હસે , પોતાની આંખોમાં પણ સપના હારમાળા, ભવિષ્ય થી અજાણ એ બાળક ને પણ એક દિવસ કોઈ શિક્ષકે તેમનું હૃદય સ્પર્શ્યું હશે , કોઈએ તેમને આત્મવિશ્વાસ આપ્યો હતો કે તેઓ કંઈક વિશેષ કરી શકે છે. એ ક્ષણે, શિખર સર કરવાનું બીજ વાવાયું હતું. સમય જતાં એ બાળક શિક્ષક બનવા માટે પ્રયત્નશીલ બન્યું.
વિદ્યાર્થીથી શિક્ષક બનવાનું યાત્રાપથ સરળ નથી. નાની નાની નિષ્ફળતાઓ, સમાજની અપેક્ષાઓ, ભવિષ્યની અજાણ્યા ભય વચ્ચે એક આંતરિક આગ હોવી જરૂરી છે – "મારે બીજા જીવનોને સ્પર્શવા છે." એવા વિચારથી શિક્ષકનું સર્જન થાય છે.
શિક્ષકનું દૈનિક જીવન – દોડતી ઘડિયાળ સામે સ્પર્ધા
શિક્ષકનું જીવન ઘડિયાળના કાંટા સામે દોડતી દોડ છે. સવારે વહેલી શાળાના સમય માટે તૈયાર થવું, પાઠ્યપોથીઓમાં નવા અભ્યાસક્રમો સમજવા, વિવિધ વિદ્યાર્થીઓની સમજણ પ્રમાણે તાલમેલ બેસાડવો, વર્ગખંડમાં સતત ઉર્જાવાન અને ઉત્સાહી રહેવું – એ પણ સહજ નથી.
દરેક વિદ્યાર્થીનું મન જુદું છે, તેની લય અલગ છે, એની સમસ્યાઓ અલગ છે. શિક્ષકના માટે દરેક વિદ્યાર્થી સાથે જુદી રીતે વાતચીત કરવી પડે છે, ક્યારેક માતા જેવી મમતા સાથે, તો ક્યારેક દંડ અને શિસ્તના સહારે. એ વિદ્યાર્થીઓના દિલની ભાષા સમજવી પણ એક કલા છે, જે માત્ર અનુભવથી જ આવડી શકે.
આ સાથે અન્ય જવાબદારીઓ પણ છે – લેખિત કામગીરી, પરીક્ષા લેવા અને ચકાસવી, વાલી સભાઓ, તાલીમ કાર્યક્રમો, શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગિતા, અને સતત પોતાનું જ્ઞાન નવિન કરતા રહેવું. આખરે શિક્ષક પોતાની જાતને 'વિદ્યાર્થી'ના રુપમાં જીવનભર જીવતો રહે છે.
જીવનની રફતારમાં સ્વપ્ન સજાવનાર
જ્યારે સમાજ પોતાના કારકિર્દી, ધંધા, વેપાર અને ગ્લેમર પાછળ દોડે છે ત્યારે શિક્ષક શાંતિથી બીજા જીવનના સપના સાકાર કરવા માટે કાર્યરત રહે છે. વિદ્યાર્થીના એક અશ્રુ પર તેમની રાત્રિ નિંદર હરામ થાય છે, અને એક સ્મિત માટે તેઓ પોતાના થાકને ભૂલી જાય છે.
શિક્ષક એ છે, જે બાળકોના મનમાં પોતાનું ભવિષ્ય રચે છે. બાળક પોતાનું મૂલ્ય અનુભવે એ માટે શીખવે છે કે, "તમે કરી શકો છો." દરેક નિષ્ફળ પ્રયાસ પછી થપકી આપીને ફરી નવા પ્રયાસ માટે પ્રોત્સાહિત કરે છે.
વિદ્યાર્થીની નાનકડી સફળતામાં શિક્ષક પોતાની મહાનતા માને છે. કોઈ વિદ્યાર્થી જ્યારે પોતાના શ્રમથી સફળતાના શિખર પર પહોંચે છે, ત્યારે તેના પૈસા કે પુરસ્કાર કરતાં પણ મોટો ઈનામ शिक्षકે અનુભવે છે – "હું તને ઓળખતી હતી, તું એક દિવસ સફળ થાવાનોઃ હતો!"
રફતાર અને ત્યાગ – શિક્ષક જીવનના અમૂલ્ય મણકા
શિક્ષક માટે જીવનની રફતાર એટલે નિમિષે નિમિષે પોતાના સ્વપ્નોનો ત્યાગ. મિત્રો સાથે મોજ મસ્તી કરવા જેવી સામાન્ય મજા, ફરવાનું શોખીન જીવન, શોખીલ કારકિર્દીની દુનિયા – ઘણું બધું શિક્ષકે પોતાના જીવનમાંથી દૂર રાખવું પડે છે.
જ્યારે બીજા લોકો રજાઓનો આનંદ માણે છે, ત્યારે શિક્ષક વકરેલ ટેસ્ટ પેપર, અધૂરી અહેવાલો અને આવનારી પરીક્ષાની તૈયારીમાં ઝૂકાય છે. વિદ્યાર્થીઓની ચિંતામાં તેમના પોતાના સંતાનો માટે સમય ઓછો પડે છે. તેમ છતાં, તેઓ આ બધું હસતા મોંએ સહન કરે છે, કેમ કે તેઓ જાણે છે કે, તેમના શ્રમથી સમગ્ર સમાજનું ભવિષ્ય સર્જાય છે.
શિક્ષક જીવન એક ચિરંતન યજ્ઞ છે – જ્યાં પોતાનું બધું અગ્નિમાં અર્પિત કરીને, નવા જીવનના આશાવાદી ભાવો ઊર્મિભર્યાં બનાવવામાં આવે છે.
સમાજમાં શિક્ષકનું સ્થાન – એક અવાજ વગરનું સ્તંભ
વળી શિક્ષકનું સ્થાન સમાજમાં એવો સ્તંભ છે જે ઘણીવાર મૌન રહે છે. આપણે રોજે રોજ ડોક્ટર, વકીલ, વિજ્ઞાની, રાજકારણીની સફળતા વખાણીએ છીએ, પણ એના પાછળ રહેલા શિક્ષકના શાંત યોગદાન વિશે ઓછું બોલાય છે.
દરેક સફળ વ્યક્તિ પાછળ કોઈક શિક્ષકે સમય કરતાં વધુ પ્રેમ અને શ્રદ્ધાથી કામ કર્યું છે, કોઈક શિક્ષકે ક્ષમતા કરતાં વધારે વિશ્વાસ કર્યો છે. શિક્ષક એ છે, જે પ્રકાશ છે – જે બીજાઓના માર્ગ પ્રકાશિત કરે છે અને પોતે છાંયામાં રહે છે.
શિક્ષક એ છે, જે પોતાના જીવનના સુખોનું બલિદાન આપીને, સમાજ માટે નવિન આશા અને સંભવિતતાના દ્વાર ખોલે છે.
જીવનના ઉત્તરાર્ધમાં – ઋણાનુબંધોની મીઠી લાગણી
સમયના વહેણ સાથે જ્યારે શિક્ષક નિવૃત્તિ તરફ વધે છે, ત્યારે તેમના જીવનના પાનાઓ ઉપર અનેક યાદોની છાંયા પડેલી હોય છે – હજારોથી પણ વધુ વિદ્યાર્થીઓના સ્મરણો, તેમની સાથેની સંભળાતી અવાજો, અને હૃદયમાં વસેલી મીઠી લાગણીઓ.
ક્યારેક રોડ પર ક્યાંક પહેલો વિદ્યાર્થી હાથ હલાવે છે – "મેડમ, યાદ છે? તમે મને જીવનનો પહેલો અવકાશ આપ્યો હતો!" ત્યારે શિક્ષકનું દિલ ગદગદ થઈ જાય છે. એ ક્ષણમાં એ સંઘર્ષો, એ રાતરાંજિયા, એ ત્યાગ બધું અગ્નિસ્નાન જેવા પવિત્ર અનુભવ બની જાય છે.
શિક્ષક માટે સૌથી મોટું બક્ષીસ છે – જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સાચું સન્માન અને સાચો આદર આપે છે.
અંતે, શિક્ષકનું જીવન એ એક ઉત્તમ કાવ્ય છે – જ્યાં દરેક પંક્તિએ ત્યાગ છે, પ્રેમ છે, અને ભવિષ્ય માટેનો વિશ્વાસ છે.
જ્યાં જીવનની રફતાર ક્યારેક ધીમી, ક્યારેક ઝડપી લાગે છે, ત્યાં શિક્ષક સતત જ્ઞાનનો દીવો પ્રગટાવતા રહે છે. પોતાના વ્યક્તિત્વને ભૂલીને, નાનકડા દિલોમાં સપનાની જ્યોત પ્રગટાવતા રહે છે.
શિક્ષક એ છે, જેને જીવન ભલે ક્યારેક ઔપચારિક સન્માન નહીં આપે, પણ દરેક વિદ્યાર્થીના દિલમાં એક અદૃશ્ય મંદિર બની રહે છે.
નયના જે. સોલંકી
આંખો
(કેમ્પસ ડાયરેક્ટર)
One Response
શિક્ષક અંગેની ગાથા સરસ વ્યક્ત કરી