શ્રી ચૌધરી ચરણસિંહ
દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ ભારતના પાંચમાં પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતીની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day) ઉજવવામાં આવે છે.
નામ :- શ્રી ચૌધરી ચરણસિંહ
જન્મ :- ૨૩/૧૨/૧૯૦૨
જન્મ સ્થળ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
જન્મ સ્થળનો જિલ્લો :- મેરઠ
જન્મ સ્થળનું ગામ :- નુરપુર
રાજકીય સેવા :– ૨૮ જુલાઈ, ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી, ૧૯૮૦ સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી (વડાપ્રધાન) તરીકે દેશની સેવા કરી હતી.
અવસાન :- ૨૯/૦૫/૧૯૮૭
જાણી અજાણી વાતો :-
* ચૌધરી ચરણસિંહ ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું.
* ચૌધરી ચરણસિંહની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું છે, તેને ‘કિસાન ઘાટ’ કહેવામાં આવે છે.
* ભારત સરકારે વર્ષ ૨૦૦૧માં ચૌધરી ચરણસિંહના સન્માનમાં દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.
* ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. આ દિવસે દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
* રાષ્ટ્રીયખેડૂત દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે.
* રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાને વિશે શિક્ષિત કરવાનુ કામ કરે છે.
* દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને “જય જવાન જય કિસાન”નો નારો આપ્યો હતો. ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ.
દેશની પ્રગતિમાં ખેડૂતોની મુખ્ય ભૂમિકા છે, તેથી ખેડૂતોને સન્માન મળવું જોઈએ. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો છે.
(સંકલિત)
– નયના જે સોલંકી
– આંખો
– સુરત.