26મી જાન્યુઆરીની જાણી અજાણી વાતો

 ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું. 

1. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું અધિવેશન લાહોરમાં યોજાયું હતું. 

2. જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. 

3. ૨૬ જાન્યુઆરીના દિવસ નજીક આવ્યો તેમ છતાં અંગ્રેજ સરકારે કોઇ જ પગલા ન ભરતા સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.

4 પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા લાહોર અધિવેશન મુજબ દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. 

5. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો.

6. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. 

7. ઇ.સ. ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં ૨ વર્ષ અને ૧૧ દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું.

8. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. 

9. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. 

10. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.

11. ૨૫ જાન્યુઆરીની પરેડનું આયોજન નવી દિલ્હીમાં આવેલ રાજપથ ખાતે કરવામાં આવે છે.

12. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ થી ૧૯૫૪ સુધી ઈરવિન સ્ટેડિયમ, કિંગ્સ્વે, રામલીલા મેદાન અને લાલ કિલ્લામાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

13. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં આયોજિત પ્રથમ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડૉનેશિયાના રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

14. ૧૯૫૪માં પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથ ખાતે યોજાઇ હતી. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર-જનરલ શ્રી મલિક ગુલામ મોહમ્મદને આ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

15. વર્તમાનમાં રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવામાં આવ્યું છે.

16. ગણતંત્ર દિવસના સમારોહમાં ભારતરત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, કીર્તિચક્ર, પરમચક્ર, મહાવીરચક્ર જેવા રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે.

17. બાળકોને વીરતા પુરસ્કાર આપવાની પ્રથા ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૫૭ થી શરૂ કરવામાં આવી છે.

18. પ્રજાસત્તાક પર્વની ઉજવણી 3 દિવસ સુધી ચાલે છે અને સત્તાવાર રીતે 29 જાન્યુઆરીએ બીટિંગ રીટ્રીટ સમારોહ સાથે સમાપ્ત થાય છે.

વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26 જાન્યુઆરી, 2024 ના રોજ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે.

(સંકલિત)

– નયના જે.સોલંકી

– સુરત.

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

નિબંધ: વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાય છે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર

શિક્ષણની માહિતીની લિંક

નમસ્કાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ, હું નયના જે. સોલંકી, શિક્ષણ અને સાહિત્ય સાથે જોડાયેલા તમામ માટે એક અનોખી