સ્વતંત્ર ભારતની પ્રથમ જનગણના

વસ્તી ગણતરીનો ઇતિહાસ:-

* 9 ફેબ્રુઆરી, 1951 એટલે કે આજના દિવસે આઝાદી બાદ ભારતમાં પ્રથમ વસતી ગણતરી માટેની સુચી બનાવવાનું કાર્ય ચાલુ થયું હતું. આ સમયે વસતી ગણતરી આયુક્ત આર.એ.ગોપાલસ્વામી હતા.

*  વર્ષ 1872માં લોર્ડ મેચોના સમયગાળામાં ભારતમાં સૌપ્રથવાર વસતી ગણતરીની શરૂઆત થઈ હતી.

* ત્યારબાદ વર્ષ 1881માં લોર્ડ રીપનના સમયગાળા દરમિયાન ભારતમાં નિયમિત રૂપે વસતી ગણતરી શરૂ થઈ હતી. 

* આ સમયે વસતી ગણતરી આયુક્ત વોલ્ટર પ્લોડાન હતા.વસતી ગણતરી આયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રાલયની  અંતર્ગત કાર્ય કરે છે. તથા તેના ઉચ્ચત્તગ અધિકારી “સેન્સસ કમિશન”અને “રજીસ્ટર જનરલ” હોય છે.

* કેન્દ્ર સરકારને ભારતીય બધારણના અનુચ્છેદ – 246 પ્રમાણે દેશની વસતી ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં  આવી છે. જે બંધારણની સાતમી અનુંસુચીની ક્રમ સંખ્યા 69 પર સૂચવ્યું છે.

વસ્તી ગણતરી શું છે?

* વસ્તી ગણતરી એ વસ્તી સંબંધિત આંકડાકીય માહિતી એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા, મૂલ્યાંકન કરવા, પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે.

*વસ્તી ગણતરી દર 10 વર્ષના અંતરાલ પર હાથ ધરવામાં આવે છે.

* 2021 સુધીમાં, ભારતની દશવાર્ષિક વસ્તી ગણતરી 16 વખત હાથ ધરવામાં આવી છે.

* 1949 પછી, તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે.

* છેલ્લી વસ્તી ગણતરી 2011માં યોજાઈ હતી, જ્યારે આગામી 2021 માં યોજાવાની હતી. પરંતુ તે COVID-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

* વસ્તી ગણતરીમાં, શિક્ષણ, SC/ST, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર જેવા વસ્તી વિષયક અને વિવિધ સામાજિક-*આર્થિક પરિમાણો પર ડેટા એકત્રિત કરવામાં આવે છે.

2011માં પ્રથમ વખત બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

– (સંકલિત)

– નયના જે.સોલંકી

– આંખો

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

નિબંધ: વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાય છે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર

શિક્ષણની માહિતીની લિંક

નમસ્કાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ, હું નયના જે. સોલંકી, શિક્ષણ અને સાહિત્ય સાથે જોડાયેલા તમામ માટે એક અનોખી