કવિ : બરકતઅલી ગુલામહુસેન વિરાણી ‘ બેફામ

નામ: બરકતઅલી ગુલામહુસેન વિરાણી

ઉપનામ: બેફામ

જન્મ:  ૨૫ / ૧૧ / ૧૯૨૩

જન્મ સ્થળ: ઘાંઘળી, સિહોર નજીક, ભાવનગર જિલ્લો

વ્યવસાય: કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક

લેખન પ્રકાર: ગઝલ, નવલકથા, ટૂંકી વાર્તા

નોંધપાત્ર સર્જનો: ઘટા (૧૯૭૦) અને પ્યાસ (૧૯૮૦)

પ્રથમ ગઝલ : ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.

અભ્યાસ: ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.

જીવનસાથી: રુકૈયા ( ૧૯૫૨ – ૧૯૯૪), તેમના મૃત્યુ પર્યંત

મૃત્યુ:  ૦૨ /૦૧ / ૧૯૯૪  (૭૦ વયે),  મુંબઈ

*વિશિષ્ટ :*

 1. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો.

2. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા.

3. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો.

4. અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.

*જાણીતી ગઝલો*

1.કહે છે સ્વાર્થરહિત મારો પ્રેમ એવો છે

2.કાળા છતાંય રંગ નિરાળા છે આંખમાં

3.કેમ ઓ સાકી, હું મસ્તીમાં લથડતો જાઉં છું

4.હ્રદયની આરઝૂ તો કંઇક વણપૂરી હતી મારી

5.કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી

6.કોઇને દિવસેય દેખાતો રહે છે અંધકાર

7.કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રુંધી નાખ્યાં

8.ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને

9.ખુદ સમંદર ઉડીને નદીને મળે

10.ખુદા, ઘરની દશા ના આટલી વેરાન થઇ જાયે

11.ખુદ્દાર માનવીને બીજું શું ભલા મળે

12.ખૂંચી રહ્યું છે છે કાળજે કોઇ કટાર જેમ

13.ખોટ તારે ત્યાં ખુદા શી છે, મને આબાદ કર

14.ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

15.ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે

16.જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો

17.એ રીતે તારો સાથ છે આ ઇન્તેઝારમાં

18.એક જ દશાનાં દ્રશ્ય બે આંખો ને તીર છે

19.છે મિલનની બાદ છે આનંદ, ભય પણ એજ છે

20.જગ સત્ય નથી સાચે જ હવે, સાચે જ એ માયા લાગેછે

21.જમાનાએ સદા ઝીંદાદિલી મારી સ્વિકારી છે

22.જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે

23.હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે?

24.જીંન્દગી ને મોતને હું એક કરતો જાઉં છું

25.જીન્દગી જીવી શકું હું કોઇ પણ મુશ્કિલ વિના

26.જીન્દગી તારા વિનાની મોતથી ઊલટી જ છે

27.જીવનના હાલમાં કુદરત સમો ક્રમ પણ જરૂરી

28.જીવનને જીવવાની તમન્ના વગર જીવ્યો

29.જીવનનો રોગ છે આ, કોઇ પણ ઉપચાર માગે છે

30.જુઓ જાહેરમાં તો ખાય છે, એ સૌ દયા મારી

31.જ્યારથી એક બેવફા પ્રત્યે મહોબ્બત થઇ ગઇ

32.જ્યારથી તારો મને સાથ કે સહકાર નથી

33.તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને

34.તમારી આંખ જેવી કોઇ પ્યાલી થઇ નથી શકતી

35.તમારું સ્મિત બની લહેરાઇ જવાનું મને ગમશે

36.તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે

37.તૃપ્ત છું મૃગજળની વચ્ચે હંસલાના રૂપમાં

38.થયું આ દર્દ દુનિયાના બગીચામાં વિહરવાથી

39.થાય છે જેવું મને આઘેથી તમને જોઇને

40.દિવસો તો ખેર કોઇના સારા નથી રહ્યાં

41.નજરને મેળવી હાલત નશાની મેળવી લેશું

42.નથી એ દોસ્ત પણ થાતા, કે દુશ્મન પણ નથી થાતાં

43.નભમાં મને કંઇ એમ સિતારા મળી ગયા

44.નશા રૂપે જો થઇ હોત અવદશાની અસર

45.ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં

46.પડી હો જાણે પગમાં શૃંખલા, એવી પ્રતિક્ષા છે

47.પડે છે દુઃખ તો અશ્રુ જેમ ઓગળતો રહું છું હું

48.પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં

49.પ્યાર છે કેવળ હવે, દર્દો નથી, દિલ પણ નથી

(સંકલિત લેખ)

– નયના સોલંકી

– આંખો

– સુરત

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

નિબંધ: વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાય છે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર

શિક્ષણની માહિતીની લિંક

નમસ્કાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ, હું નયના જે. સોલંકી, શિક્ષણ અને સાહિત્ય સાથે જોડાયેલા તમામ માટે એક અનોખી